
नास्ति विद्यासमो बन्धुर्नास्ति विद्यासमः सुहृत्। नास्ति विद्यासमं वित्तं नास्ति विद्यासमं सुखम् ॥
“જ્ઞાન જેવો કોઈ સગો નથી, જ્ઞાન જેવો કોઈ મિત્ર નથી. જ્ઞાન જેવું કોઈ ધન નથી અને જ્ઞાન જેવું કોઈ સુખ નથી.”
સેવા ભારતીમાં અમે માનીએ છીએ કે શિક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. અમારી વિવિધ યોજનાઓ દ્વારા અમે ખાસ કરીને વંચિત અને જરૂરિયાતમંદ બાળકો તેમજ બાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની તક મળે તે માટે કાર્યરત છીએ.
આપણા સૌના સહયોગથી જ સ્થાયી અને અર્થપૂર્ણ પરિવર્તન શક્ય છે. આપનો સહયોગ બાળકોને શિક્ષણ, જરૂરી સંસાધનો અને નવી તકો પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે, જે તેમના આત્મવિશ્વાસ અને કૌશલ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આવો, આગામી પેઢીને સશક્ત બનાવવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ — આજે જ આપનો અમૂલ્ય સહયોગ આપો.
કાર્યરત પ્રવૃત્તિઓ
-
પાઠદાન કેન્દ્ર: શિક્ષણ દ્વારા સશક્તિકરણ
આ કેન્દ્રો સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપી તેમના જીવનમૂલ્યોના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવે છે….
-
છાત્રાવાસ અને સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય
એકલવ્ય છાત્રાવાસ: સમાજના ગરીબ, શોષિત અને વંચિત પરિવારોના ૮ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં નિઃશુલ્ક રહેવા, જમવા અને અભ્યાસની વ્યવસ્થા…
-
શિક્ષણ-સંસ્કાર કેન્દ્ર
સમાજનો દરેક બાળક સંસ્કારી અને સુસંસ્કૃત બને તેવા હેતુથી ધોરણ ૩ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન,…
